માંગરોલ, દેગડીયા –ઉમરપાડા તાલુકાની હાલમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની તાલુકા/જિલ્લા પંચાયતની ચુંટણી અંગે તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરેશ વસાવાના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ ચિંતન બેઠકમાં ગત તાલુકા/જિલ્લા ચૂંટણી માં કોંગ્રેસ પક્ષ નો દેખાવ સંતોષ કારક ન હોવા થી પક્ષ માં જે કાર્યકરો નારાજ થયા છે તેઓ ને સંભાળી આવનારા દિવસો માં પક્ષ ને મજબૂત કરવા અંગે સલાહ સૂચન કરવામાં આવ્યા હતા ઉમરપાડા તાલુકામાં કોંગ્રેસ પક્ષ માટે ચૂંટણીના પરિણામો યોગ્ય ના હોવા છતાં કાર્યકરોએ મક્કમતા પૂર્વક લડત આપી હતી.
સાથે સાથે વિધાનસભા તેમજ લોકસભાની ચૂંટણી વીવીપેટ થી લડાઈ હતી પરંતુ તાલુકા/જિલ્લા પંચાયતમાં વિવિપેટ ના મુકવામાં આવતા પરિણામો સામે શંકા વ્યક્ત કરવામાં આવી તથા આવનાર ગ્રામપંચાયત અને વિધાનસભાની ચૂંટણીમાં બેલેટ પેપર થી ચૂંટણી યોજવા માંગણી કરી હતી અને EVM હટાવવાની પ્રબળ માંગણી કરી છે. EVM ને કારણે શંકા ઉપજાવે એવા પરીણામો આવ્યા છે જેથી કોંગ્રેસ પક્ષ EVM નો વિરોધ કરે છે.
કોંગ્રેસ પક્ષ મોંઘવારી બાબત હવે પછી આંદોલનો કરશે.
આ પ્રસંગે રામસિંહ ભાઈ વસાવા , નટવર ભાઈ વસાવા , અજીત ભાઈ, હિતેશ ભાઈ પટેલ, જયંતિ ભાઈ વગેરે કાર્યકરોએ હાજર રહી મારગદર્શન આપ્યું હતું.
રિપોર્ટર નિલય ચૌહાણ દેગડીયા તાલુકા મોટામિયા માંગરોલ જિલ્લા સુરત