મ્યાંમારનાં કચિન પ્રાંતમાં ભારે વરસાદનાં કારણે ગુરૂવાર સવારે ભેખડ ઢસી પડી. આ ઘટનામાં 113 મજૂરોનાં મોત થયા છે, જ્યારે અનેક મજૂરો હજુ જમીનમાં દટાયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મ્યાંમાર ફાયર બ્રિગેડે જાણકારી આપી છે કે અત્યારે 113 મૃતદેહોને બહાર નીકળવામાં આવ્યા છે, જ્યારે અન્યની શોધ ચાલી રહી છે.
100થી વધારે મૃતદેહો શોધ્યા
સૂચનાં મંત્રાલયનાં એક સ્થાનિક અધિકારી ટાર લિંગ માઉંગે કહ્યું કે, અત્યારે અમે 100થી વધારે મૃતદેહો શોધ્યા છે. હજુ ઘણા મૃતદેહો કીચડમાં ફસાયેલા છે. મૃતકોની સંખ્યા વધવાની છે. આ વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી ભારે વરસાદ થઈ રહ્યો છે જેનાથી રાહતકાર્યમાં મુશ્કેલી આવી રહી છે.
પ્રત્યક્ષદર્શીએ જણાવી ઘટના
ઉલ્લેખનીય છે કે આ ખાણોમાં પહેલા પણ ભૂસ્ખલનથી અનેક લોકોનાં મોત થઈ ચુક્યા છે. આ ઘટનાનાં પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે તેમણે મજૂરોને એક ટેકરા પર જોયા જે પડવાની તૈયારીમાં હતો. થોડીકવારમાં જ પહાડીથી એ ભેખડ પડી જેની ઝપટમાં આવવાથી અનેક લોકો માર્યા ગયા. મ્યાંમારમાં એક વર્ષ પહેલા પણ આવો અકસ્માત થઈ ચુક્યો છે, જેમાં 59 લોકોનો જીવ ગયો હતો, જ્યારે આવી જ રીતે ભેખડ ઢસવાથી સૈંકડો લોકોનાં મોત થયા છે.