તારીખ 16 એપ્રિલ 2018ના રોજ આર એમપીએસ ઇન્ટરનેશનલ શાળાનો અંકલેશ્વર શહેરમાં પાયો નખાયો. બાળકોના સર્વાંગી વિકાસને સર્વોપરી લખી આજના આધુનિક સમયમાં ટેકનીકલ નોલેજ ની સાથે સાથે રમત ગમત સાંકળી લઇ બાળકોનો સર્વાંગી વિકાસ કેમ કરવો એ લક્ષ્યને ધ્યાનમાં રાખી આ શાળાની શરૂઆત થઇ હતી, જેની 16 એપ્રિલ 2021 ના રોજ શાળાના પટાંગણમાં ચોથા વર્ષ ની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ટ્રસ્ટીશ્રી રાકેશ જૈન, શ્રી મહાવીર જૈન ,શ્રી સચિન જૈન અને શાળાના આચાર્યશ્રી અભિષેક બચ્ચન સાહેબ ઉપસ્થિત રહી, શિક્ષકો દ્વારા સુંદર એવી આરએસએસની યાત્રા ની યાદ કરતા ગીતોની સરગમ સાથે પ્રસ્તુતિકરણ કરી અને સાથે સાથે સામાજિક અંતર રાખી ચાલી રહેલા કરોનાના વિકટ સમયમાં આ દિનની ઉજવણી કરી સમાજમાં એક સંદેશ પાઠવ્યો .વિકટ પરિસ્થિતિમાં પોતાને કેવી રીતે સક્ષમ બનાવી આગળ વધવું એના મુખ્ય સાથે આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.