સુશાંત સિંહ રાજુપૂત મામલામાં સીબીઆઇ તપાસનો સામનો કરી રહેલી અભિનેત્રી રિયાએ સુશાંત રાજપૂતના પરિવાર માટે ગુરુવારે સંદેશ આપ્યો છે. રિયાએ એક ઇન્ટરવ્યુમાં સુશાંતના પરિવારને મેસેજ આપતા કહ્યું મને અને મારા પરિવારને બર્બાદ કરવાની કોશિશ ન કરો. રિયા ચક્રવર્તીએ કહ્યું કે સુશાંત સિંહ મામલે પાપાવિહોણા આરોપથી તે તુટી ગઇ છે અને તેનો પરિવાર અસહનીય માનસિક તણાવનો સામનો કરી રહ્યો છે. જણાવી દઇએ કે સુશાંત સિંહ રાજપુત મામલે ઘણી એજન્સીઓ તપાસ કરી રહી છે.
સુશાંત સિંહ રાજપૂતના પિતાના આરોપો પર જવાબ આપતા કહ્યું કે રિયા ચક્રવર્તીએ કહ્યું કે આ ખૂબ દુખદ છે કે કોઇ પીડાથી પસાર થઇ રહ્યું છે. જ્યારે સમજી નથી શકતા કે મારા પર શું અસર થશે. હું તેમના છોકરાને પ્રેમ કરતી હતી. માનવતાના નામની કોઇ વસ્તુ નથી? મેં તેમના છોકરાની સાચવણી કરી. ઓછામાં ઓછું માનવતા, મારા માટે તેના પ્રેમનું સમ્માન કરો. ભલે તમે મને તેની ગર્લફ્રેન્ડ તરીકે મને પસંદ ન કરો.
રિયાએ કહ્યું કે આ કેસ મારા સાધારણ, નિર્દોષ, મધ્યમ વર્ગીય પરિવારને બરબાદ કરી રહ્યો છે. તેમણે સુશાંત સિંહ રાજપૂતનો ઉલ્લેખ એક સારા છોકરા તરીકે કર્યો. જે દુનિયા બદલવા માંગતો હતો.
રિયાએ વાતચીતમાં ખુલાસો કર્યો કે સુશાંત તેની ડિપ્રેશનની સમસ્યાને લઇને પરિવારના ટચમાં હતો સુશાંતના પરિવારથી રિયાએ કહ્યું મેન અને મારા પરિવારને બરબાદ કરવાની કોશિશ ન કરો. કેસને લઇને આ બોલિવૂડ અભિનેત્રીએ કહ્યું હુ પોતે ઇચ્છું છું કે હકીકત સામે આવે, પરંતુ મને નિશાન બનાવીને નહીં. સુશાંતની બહેન નીતુ અંગે કોઇ કેમ બોલી રહ્યું નથી? જો સુશાંત તે અઠવાડિયે અસ્વસ્થ હતો તો તેને એકલો કેમ મુકી દીધો?