ત્રણ દિવસ બજારો બંધ રાખ્યા બાદ કોરોના ના કેસો માં કોઈ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો નથી,ઉપરથી મૃત્યુ આંક માં વધારો નોંધાયો છે
(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : રાજપીપળા શહેર ત્રણ દિવસ બંધ રાખવા અધિકારીઓ અને વેપારીઓ વચ્ચે મિટિંગ થઈ અને તમામ વેપારીઓ અને લારી-ગલ્લા વાળા નાના વેપારીઓ એ પણ સ્વૈચ્છિક બંધ નું બરાબર પાલન પણ કર્યું પરંતુ ગુરુવારે ત્રીજા દિવસના બંધ બાદ શુક્રવાર થી ધંધા શરૂ કરવા વેપારીઓ એ તૈયારી કરી લીધી છે.
જોકે સવાલ એ ઉભો થાય છે કે આ ત્રણ દિવસના બંધ માં મોટા અને નાના તમામ વેપારીઓ ની આવક અટકી પડી જેની સૌથી મોટી અસર નાના વેપારીઓ પર પડી છતાં ત્રણ દિવસમાં કોરોના માં કેસમાં કોઈ ખાસ ઘટાડો નથી બલ્કે ત્રણ દિવસમાં રાજપીપળા કોવિડ માં મૃત્યુ આંક વધી ગયો છે.ત્યારે સ્વૈચ્છિક બંધ રાખવાના આ નિર્ણય માં વેપારીઓ નું આર્થિક નુકશાન થયું છે એ બાબત ચોક્કસ છે.