યુપીના હાથરસમાં ગેંગરેપની શિકાર બનેલી દીકરીનું 15 દિવસ બાદ દિલ્હીની AIIMSમાં મોત થયું. બાળકીની સાથે હેવાનિયતનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે દબંગોએ વારંવાર તેને પોતાની હવસનો શિકાર બનાવી. દીકરી પોતાની જુબાની આપી ના શકે એટલે તેની જીપ કાપી નાંખી. ચાલીને પોતાના ઘર સુધી ના જઇ શકે એટલે પગના હાડકાં તોડી નાંખ્યા, ડોક તોડી નાંખી. આટલી હેવાનિયત બાદ પણ તે છેલ્લા શ્વાસ સુધી જિંદગી માટે જંગ લડતી રહી. આ કેસમાં પોલીસ પર પણ બેદરકારીનો આરોપ લગાવામા આવ્યો છે. રાજકારણ તેજ થતા પોલીસ એકશનમાં આવી.
ગેંગરેપની ઘટના બાદ હોસ્પિટલમાં દાખલ દીકરીને 9 દિવસ બાદ ભાન આવ્યું. ભાનમાં આવ્યા બાદ તેની જીભ કપાયેલી હોવાથી બોલી ના શકી. ઇશારામાં પોતાની સાથે દરિંદગી થયાનું દર્દ કહ્યું. નિવેદન લેવા પહોંચેલ સીઓ એ દીકરીનું નિવેદન બે પાનામાં લખ્યું.
ગેંગરેપ બાદ જીભ પણ કાપી નાંખી
આપને જણાવી દઇએ કે યુપીના હાથરસના ચંદપા વિસ્તારના ગામમાં 14મી સપ્ટેમ્બરના રોજ એક 19 વર્ષની દલિત યુવતીની સાથે ગામના જ ચાર દબંગ યુવકોએ ગેંગરેપ કર્યાનો આરોપ હતો. પીડિતાની સાથે હેવાનિયત કરાઇ હતી. પોલીસના મતે રેપ બાદ જીભ પણ કાપી નાંખી હતી. ત્યારબાદ પીડિતાને અલીગઢની જેએન મેડિકલ કોલેજમાં દાખલ કરાઇ હતી.
આરોપીઓની ઓળખ થઇ
આરોપીઓની ઓળખ ગામના જ રહેતા સંદીપ, લવકુશ, રામુ અને રવિ તરીકે થઇ હતી. હાથરસ પોલીસ અધિક્ષકે કહ્યું કે સંદીપની 14 સપ્ટેમ્બરના રોજ જ ધરપકડ કરી લેવાઇ હતી. ઘટનાના કેટલાંય દિવસ વીત્યા બાદ પોલીસે રામુ અને લવકુશની ધરપકડ કરી. તો ભાગેડુ ચોથા આરોપી રવિને 26મી સપ્ટેમ્બરના રોજ પોલીસે પકડી જેલમાં મોકલ્યો હતો.
9 દિવસ બાદ ભાનમાં આવતા પીડિતાએ આપવીતી સંભળાવી
ઘટનાના 9 દિવસ બાદ પીડિતા હોશમાં આવી તો પોતાની સાથે થયેલી આપવીતી પોતાના પરિવારજનોની કહી. દીકરીની આપવીતી સાંભળી કેટલાંય કંપી ઉઠ્યા. વાત બહાર આવી તો રાજકારણ તેજ થયું. ભીમ આર્મીથી લઇ બહુજન સમાજ પાર્ટીના ચીફ માયાવતીએ સરકારને નિશાના પર લીધી.