પૃથ્વી સૂર્યની પરિક્રમા 365 દશાંશ 25 દિવસ એટલે 365 દિવસ કરતા થોડા કલાકોમાં સૂર્યનું પરિભ્રમણ પૂર્ણ કરે છે, જેને જ્યોતિષશાસ્ત્રમાં નક્ષત્ર વર્ષ કહેવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં, પૃથ્વીના સંબંધમાંના તમામ ગ્રહોનો અભ્યાસ કરવામાં આવે છે, તેથી કુંડળી જે સમાન ભાગોમાં આવ્યા પછી રચાય છે એટલે કે રાશિ અને કળામાં આવવા પર બનનારી કુંડળીને વર્ષ કુંડળી કહે છે.
જેમ કોઈ વ્યક્તિ તેના આવતા વર્ષ માટે કોઈ ખાસ વર્ષની કુંડળીમાંથી પરિણમે છે, તે જ રીતે, રાષ્ટ્રની વર્ષ કુંડળી બનાવીને, મેદિની જ્યોતિષવિદ્યાના નિયમો અનુસાર, તે રાષ્ટ્રનું એક વર્ષ આગાહી કરવામાં આવે છે. “ભારત માટે આવતા વર્ષે આ વિષયનું મૂલ્યાંકન કરનારા જ્યોતિષ શું કહે છે આવો જાણીએ.
15 ઓગસ્ટના રોજ ભારતની આઝાદીના 73 વર્ષ પૂરા થશે, પરંતુ વર્ષ કુંડળીના નિયમો અનુસાર, સૂર્ય ભારતની આઝાદીની કુંડળીના સૂર્ય સમાન રાશિ અંશ કલા પર 14 ઓગસ્ટે સાંજે 4 વાગ્યે 58 મિનિટ પર પહોંચશે. આ સમયની વર્ષ કુંડળીમાં ધન લગ્ન ઉદય થઇ રહ્યો છે જે આઝાદ ભારતની વૃષભ લગ્નની કુંડળીનો અષ્ટમ ભાવ છે. જે કોઇ યુદ્ધ અને મોટા નેતાઓની સાથે અનહોની ઘટના થવાનો સંકેત આપી રહ્યા છે.
ધન લગ્નની વર્ષ કુંડળીમાં મુંથા યુદ્ધના સપ્તમ ભાવમાં રાહુ અને છઠ્ઠા ઘરના સ્વામી શુક્રથી યુત થઇને એક ખતરનાક યોગ બની રહ્યો છે. મુંથા પર પડી રહેલા યુદ્ધના કારક ગ્રહ મંગળની દ્રષ્ટિ અશુભ છે. મુંથેશ બુધ વિનાશ સ્થાન એટલે અષ્ટમ ભાવમાં થઇ પાપ ગ્રહ શનિથી દ્રષ્ટ છે. આ દરેક યોગોની સાથે આઝાદ ભારતની કુંડળીમાં ચાલી રહેલી ગુરુમાં શનિની યોગિની દશા દેશ માટે યુદ્ધના યોગ નિર્મિત કરી રહી છે. 15 ઓગસ્ટના થોડાક દિવસ બાદ ચીન-ભારતની સીમાઓ પર પાકિસ્તાનની મિલીભગતથી સૈન્ય તાકાત બતાવી શકે છે. વર્ષ કુંડળીમાં ધન સ્થાન પર બેસેલા વક્રી શનિ પર સૂર્ય અને બુધની દ્રષ્ટિ અર્થવ્યવસ્થામાં મંદી રહેવા તથા સરકાર દ્રારા બજારમાં હસ્તક્ષેપનો સંકેત છે. સૂર્ય અને બુધ પર શનિની દ્રષ્ટિ નાણાકીય બજારમાં ઘટાડો અને સોનામાં તેજી યથાવત રહેવાનો સંકેત છે.
છેલ્લા એક વર્ષમાં, કલમ 37૦ રદ કરીને અને રામ મંદિરનું નિર્માણ શરૂ કરીને, ભાજપ સરકારે તેના ત્રણ જૂના ઠરાવોમાંથી બે પરિપૂર્ણ કર્યા છે. હવે, ભારતની સ્વતંત્રતા વર્ષની કુંડળીના સાતમા ગૃહમાં, રાહુ અને શુક્રના લગ્ન સંબંધિત મુસ્લિમો બહુ વિવાહ પ્રથા, નિકાહ-હલાલા, મુસ્લિમ મહિલાઓના તલાક કાયદા જે મુસ્લિમ પર્સનલ લો અંતર્ગત છે તેમા મોટા ફેરફાર થવાની સંકેત છે.
આગામી એક વર્ષની અંદર વિવાહ, સંપતિ, ઉત્તારાદિકાર, દત્તકપુત્ર સહિત પર્સનલ લોમાં મોટા ફેરફાર લાવી સરકાર જનતાના કેટલાક સમૂહોના મોટા વિરોધનો સામનો કરી શકે છે. વર્ષ કુંડળીના સપ્તમ ભાવમાં રાહુ, શુક્ર અને મુંથાનો હોવું વિવાહ સંબંધી મોટા કાયદામાં બદલાવનો સંકેત છે. જે સરકારના કોમન સિવિલ કોડ તરફ આગળ વધવાનો ઇશારો છો,. જેના માટે તેમણે સમાજના એક મોટા વર્ગનો પ્રતિકાર સહન કરવો પડી શકે છે. ભારતની આઝાદીની કુંડળીમાં ચાલી રહેલી ચંદ્ર-શિનની કઠિન દશા આગામી વર્ષ જુન સુધી મોટા સામાજિક બદલાવોથી દેશમાં ઉથલ-પાથલ મચાવી શકે છે.