કોરોના મહામારી ચાલતી હોવાથી સરકારશ્રી ના નિયમ અનુસાર ઉજવણી કરવામાં આવી.
ગાંધીધામ ખાતે ૭૩ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી.

ગાંધીધામ સુભાષનગર ખાતે ૭૩ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ધ્વજવંદન કરી કરવામાં આવી હતી. કોરોનાની ગાઈડલાઈન્સ ને અનુસરી આમંત્રિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં આન-બાન અને શાન સાથે આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
ગાંધીધામ સુભાષનગર ગરબી ચોક ખાતે સરકારશ્રીના કોરોના ગાઇડલાઇન મુજબ 73માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી.સુભાષનગર વિસ્તારના લોકો એ તિરંગાને માનભેર સલામી આપવામાં આવી હતી.સોસાયટી ના તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા. હાલમાં કોરોના મહામારી ચાલતી હોવાથી સરકારશ્રીના નિયમો સાથે ઉજવણી કરવામાં આવી હતી, કોરોના મહામારી દરમિયાન સાવધાની રાખવી અને નિયમોનું ચુસ્ત પાલન કરવું રસીકરણ કરાવવું જે બાબતની સૂચનાઓ આપવામાં આવી હતી.
એમ.જી.દવે. ગાંધીધામ