ઝઘડિયા તાલુકામાં દિવસે દિવસે કોરોનાનો સંક્રમણ વધી રહ્યું છે અને કોરોનાના લક્ષણો જેવી બીમારીની ફરિયાદો ઉઠવા પામી છે. ઝઘડિયા ઉમલ્લા વેપારી મથક હોય અહીં સો થી વધુ ગામડાઓના લોકો જીવન જરૂરિયાતની વસ્તુ ખરીદી કરવા, કાચો માલ વેચવા આવતા હોય છે, તેવા સંજોગોમાં ઉમલ્લા વેપારી મંડળના પ્રમુખ વિનોદ શાહના જણાવ્યા પ્રમાણે ઉમલ્લા ના બજારો પણ સવારે સાત થી બપોરે બે વાગ્યા સુધી જ ખુલ્લા રહે છે અને આવનારા દિવસોમાં પણ બજારો કોરોના સંક્રમણની ચેન તોડવાના આશયથી બે વાગ્યા બાદ બંધ રહેશે તેમ જણાવ્યું હતું . આવનારા દિવસોમાં જ્યાં સુધી કોરોના નું સંક્રમણ ઘટે નહીં ત્યાં સુધી બજારો બપોર બાદ બંધ રહેશે.
રિપોર્ટર:નિમેષ ગોસ્વામી ઝઘડીયા